હુમલા અંગે ઇનપુટ હતા છતાં સુરક્ષા એજન્સીઓ શું કરતી હતી? પહલગામ નરસંહાર મામલે ઊઠ્યા સવાલ
Updated: Apr 23rd, 2025
GS TEAM
Pahalgam Terror Attack : કાશ્મીરમાં સબ સલામતના સરકારના દાવા વચ્ચે આતંકવાદીઓ બેફામ બન્યા છે. જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર તાજેતરમાં સૌથી મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો છે. પર્યટકો માટે જાણીતા પહલગામમાં આતંકવાદીઓએ પર્યટકોના નામ પૂછ્યા, ધર્મ જાણ્યો અને પછી તેમને ગોળી ધરબી દીધી. આ ઘાતકી હુમલામાં અત્યાર સુધીમાં 28 પર્યટકો માર્યા ગયા છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોના કાશ્મીર બહારના નાગરિકોને નિશાન બનાવીને આયોજનપૂર્વક આ હુમલો કરવામાં આવ્યો હતો. હવે આ ભીષણ હુમલાએ દેશની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ગુપ્તચર એજન્સીઓ પાસે પહેલાથી જ આ હુમલા અંગે ઇનપુટ હતા છતાં આતંકવાદીઓએ પોતાના કાવતરાને કેવી રીતે અંજામ આપ્યો? શું તે ગુપ્તચર તંત્રની નિષ્ફળતા હતી, કે પછી તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર છુપાયેલું છે? ચાલો આ નરસંહારની ઇનસાઇડ સ્ટોરીને સમજવાનો પ્રયાસ કરીએ.
પહલગામ હુમલાનો ઘટનાક્રમ
Source: Gujarat Samachar | Language: Gujarati