Grahak Chetna

"Your Voice, Your Power!"

ONGC મૈત્રી સર્કલ પાસે આવેલાં આદિત્ય એવન્યુ બિલ્ડિંગની લિફટમાં ફસાયેલા ચાર લોકોને બહાર કઢાયા

Spread the love

Updated: Mar 28th, 2025

અમદાવાદ,ગુરુવાર,27 માર્ચ,2025
ચાંદખેડા વિસ્તારમાં ઓ.એન.જી.સી.સર્કલ પાસે આવેલા આદિત્ય
એવન્યુ બિલ્ડિંગની લિફટમાં ફસાયેલા ચાર લોકોને ફાયર વિભાગની ટીમે બહાર કાઢયા
હતા.ત્રીજા અને ચોથા માળની વચ્ચે લિફટ બંધ થઈ જતાં ફાયરના જવાનોએ દરવાજો તોડી
લિફટમાં ફસાયેલા લોકોને બહાર કાઢયા હતા.
ગુરુવારે બપોરે૧૨.૨૦ કલાકના સુમારે ફાયર વિભાગને રેસ્કયૂ
કોલ મળતા સબ ફાયર ઓફિસર સહીતના ફાયરના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા.ચાર માળના આ
બિલ્ડિંગમાં ત્રીજા અને ચોથા માળ વચ્ચે બંધ પડી ગયેલી લિફટમાં ફસાયેલા ગોવિંદભાઈ
પરમાર, ઉંવર્ષ-૫૪, રમીલાબહેન
ગોવિંદભાઈ પરમાર, ઉંમરવર્ષ-૫૨,જિજ્ઞેશ
ગોવિંદભાઈ  શાહ, ઉંમર વર્ષ-૨૮ તથા
તેજલબહેન ગોવિંદભાઈ શાહ, ઉંમર
વર્ષ-૨૧ને લિફટનો દરવાજો તોડયા પછી ટેબલ મુકી બહાર કાઢવામાં આવ્યા હતા.ફાયર વિભાગે
ત્રીસ મિનીટમાં રેસ્કયૂ કામગીરી પુરી કરી હતી.

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *