NIA કરશે પહલગામ આતંકવાદી હુમલાની તપાસ, ગૃહ વિભાગનો આદેશ
Updated: Apr 26th, 2025
GS TEAM
NIA Takes Over Probe Into Pahalgam Terror Attack : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ છે. આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે ત્યારે હુમલાની તપાસ NIA(નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી)ને સોંપવામાં આવી છે. હવે NIA આ મામલે સત્તાવાર કેસ નોંધીને વિસ્તૃત તપાસ કરશે.
સૂત્રો અનુસાર NIAની ટીમ પહેલેથી જ પહલગામમાં જ છે અને ઘટનાસ્થળની સમીક્ષા પણ કરી છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળ પરથી પુરાવા એકત્રિત કરી રહી છે. તપાસ એજન્સી હવે સ્થાનિક પોલીસ પાસેથી કેસ ડાયરી, FIR સહિતના દસ્તાવજે પોતાના કબજામાં લેશે.
Source: Gujarat Samachar | Language: Gujarati