પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, 1500થી વધુ લોકોની અટકાયત
Updated: Apr 23rd, 2025
GS TEAM
Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરમાં પહલગામમાં આતંકવાદીઓના ભયાનક હુમલા બાદ સુરક્ષા દળોએ મોટું ઓપરેશન શરુ કરી દીધું છે. મળતાં અહેવાલો મુજબ હુમલા બાદ ખીણમાંથી 1500થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. જવાનો દ્વારા ઓવર ગ્રાઉન્ડ વર્ક્સ તેમજ આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને શોધી શોધીને પકડવામાં આવી રહ્યા છે. સુરક્ષા દળના જવાનો એક પછી એક વિસ્તારો અને જંગલોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ સાથે શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરવામાં આવી રહી છે. ખીણમાં ચોતરફ બંદોબસ્તની સાથે તમામ પોઇન્ટો પર વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
જમ્મુ-કાશ્મીરમાં 17 સ્થાનિક આતંકવાદીઓ
Source: Gujarat Samachar | Language: Gujarati