VIDEO : આંબેડકરની મૂર્તિ હટાવવા મુદ્દે સિદ્ધાર્થનગરમાં બબાલ, ગ્રામજનોએ પથ્થરમારો કરતા પોલીસનો લાઠીચાર્જ
Updated: Apr 21st, 2025
GS TEAM
Baba Saheb Statue Controversy in Siddharthnagar : ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાના એક ગામમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ હટાવવા મુદ્દે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ભારે બબાલ થઈ છે. ગામમાં આંબેડકરની મૂર્તિ સ્થાપી હોવાની માહિતી મળતા SDM પોલીસની ટીમ સાથે પહોંચી મૂર્તિ હટાવવા પહોંચ્યા હતા, જેનો ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. મહિલાઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેના જવાબમાં પોલીસે પણ લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
આંબેડકરની મૂર્તિ મુદ્દે પોલીસ-ગ્રામજનો વચ્ચે ઘર્ષણ
Source: Gujarat Samachar | Language: Gujarati