જમ્મુ કાશ્મીરમાં વરસાદી તબાહી વચ્ચે 50 ગુજરાતી પ્રવાસીઓ ફસાયા, તમામ સુરક્ષિત હોવાનો દાવો
Updated: Apr 20th, 2025
GS TEAM
Ramban of Jammu and Kashmir News : જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લોમાં સતત મૂશળધાર વરસાદના કારણે ભયાનક સ્થિતિ ઊભી થઈ છે. જિલ્લાના અનેક હિસ્સામાં પુર આવ્યું હોવાથી બે બાળકો સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાને પગલે ભારતીય સેના અને પ્રશાસનો દ્વારા 100થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કરી દેવામાં આવ્યા છે. જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવની કામગીરી શરૂ છે, ત્યારે આ દુર્ઘટનામાં 50 ગુજરાતી પ્રવાસીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે. બસમાં ગાંધીનગરના 30 અને પાલનપુરના 20 મુસાફરો હાલ શ્રીનગર પરત ફરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.
50 ગુજરાતી પ્રવાસીઓ ફસાયા
Source: Gujarat Samachar | Language: Gujarati