V S હોસ્પિટલમાં રૂ.200 આપી 500 દર્દી પર ક્લિનિકલ પરીક્ષણ, ડોક્યુમેન્ટ્સ નથી આપી રહી ફાર્મા કંપનીઓ
Updated: Apr 20th, 2025
GS TEAM
VS Hospital clinical trials : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલમાં વર્ષ-2021થી 58 જેટલી નેશનલ અને ઈન્ટરનેશનલ ફાર્માસ્યુટીકલ કંપનીઓએ અંદાજે 500 જેટલા દર્દીઓ ઉપર તેમની પ્રોડકટસના પરિક્ષણ કરી નાંખ્યા હોવાનો તપાસ સમિતિના વચગાળાના અહેવાલમાં ઘટસ્ફોટ થયો છે. આ ફાર્માસ્યુટીકલ કંપનીઓએ રૃમેટો આર્થરાઈટીસ ઉપરાંત ચામડીના રોગ, વેકસિનના પરીક્ષણ કર્યા હોવાનું બહાર આવ્યુ છે.
એન.એચ.એલ.મેડીકલ કોલેજના ફાર્મેકોલોજિસ્ટ ડોકટર સુપ્રિયાના કહેવા અનુસાર, કંપનીઓ દ્વારા દર્દીઓ ઉપર તેમની પ્રોડકટસના પરિક્ષણ દર્દીઓની સંમતિથી કરાયા હતા.ચાર વર્ષથી વી.એસ.હોસ્પિટલમાં એથિકલ કમિટીના અસ્તિત્વ વગર આટલી મોટી સંખ્યામાં તેમની પ્રોડકટસનું દર્દીઓ ઉપર પરિક્ષણ કરાયુ તેમ છતાં મોટાભાગની ફાર્માસ્યુટીકલ કંપનીઓએ તપાસ માટે ડોક્યુમેન્ટસ પણ આપવાનો ઈન્કાર કરી દીધો છે. તપાસ કમિટીએ મોટી ફાર્મા કંપનીઓ માટે કામ કરતા અલગ અલગ સ્તોત્રમાંથી વિગત એકઠી કરી આ કૌભાંડની તપાસ આગળ વધારી છે.જયારે વી.એસ.હોસ્પિટલમાં કલિનીકલ પરિક્ષણ અંગે પોલીસ ફરિયાદ કરવા મામલે પણ હજુ સુધી મ્યુનિસિપલ વહીવટી તંત્ર કે સત્તાધીશો મગનુ નામ મરી પાડવા તૈયાર નથી.
Source: Gujarat Samachar | Language: Gujarati