UNESCOને સમજાયું ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્રનું મહત્ત્વ, મેમોરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ
Updated: Apr 18th, 2025
GS TEAM
Bhagavad Gita, Natyashastra added to UNESCO Memory of the World Register: UNESCOએ પોતાની મેમોરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં શ્રીમદ ભગવદ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રને સામેલ કર્યું છે. ભારતના અત્યંત પ્રાચીન ગ્રંથોને આ બહુમાન મળવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
કેન્દ્રીય સંસ્કૃતિ વિભાગના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે શુક્રવારે આ બહુમાન અંગે જાણકારી આપતાં તેને ભારતની સભ્યતાના વારસાની ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, ‘શ્રીમદ્ ભગવદ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્ર હવે યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં અંકિત થયા છે. આ વૈશ્વિક સન્માન ભારતના શાશ્વત બુદ્ધિમાન અને કલાત્મક પ્રતિભાની ઉજવણી કરે છે. આ કાલાતીત કૃતિઓ સાહિત્યિક ખજાના કરતાં વિશેષ છે. તે દાર્શનિક અને સૌંદર્યનો પાયો છે ભારતના વિશ્વ પ્રત્યેના દ્રષ્ટિકોણને આકાર આપે છે. તે આપણને વિચાર, અનુભવ, જીવન જીવવા અને વ્યક્ત કરવાની રીતો સૂચવે છે.’
Source: Gujarat Samachar | Language: Gujarati