Grahak Chetna

"Your Voice, Your Power!"

જસ્ટિસ વર્માના ઘરે 45 મિનિટ સુધી રોકાઈ તપાસ ટીમ:જ્યાં ₹500-500ની અડધી બળી ગયેલી નોટોથી ભરેલી બોરીઓ મળી, તે સ્ટોર રૂમમાં ગઈ

Spread the love

CJI દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની ટીમ (ઇન-હાઉસ પેનલ) મંગળવારે બપોરે તપાસ માટે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના 30, તુઘલક ક્રેસન્ટ, દિલ્હી ખાતેના નિવાસસ્થાને પહોંચી હતી. ટીમ સ્ટોર રૂમમાં ગઈ જ્યાં ₹500ની નોટોથી ભરેલી અડધી બળી ગયેલી બોરીઓ મળી આવી.
અહેવાલો અનુસાર, ટીમ જસ્ટિસ વર્માના ઘરે 45 મિનિટ સુધી રોકાઈ હતી. તપાસ ટીમમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ જી એસ સંધાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ અનુ શિવરામનનો સમાવેશ થાય છે.
આ પહેલા 24 માર્ચે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ વર્માને તેમની મૂળ કોર્ટ (અલ્હાબાદ હાઇકોર્ટ)માં પાછા ટ્રાન્સફર કરવાની ભલામણ કરતો પ્રસ્તાવ જારી કર્યો હતો.
કોલેજિયમના ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, 20-24 માર્ચ, 2025ના રોજ યોજાયેલી બેઠકોમાં, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં પાછા મોકલવાની ભલામણ કરી છે.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમના આ નિર્ણય સામે અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશને વાંધો ઉઠાવ્યો હતો. આજથી બાર અનિશ્ચિત હડતાળ પર છે.

Courtesy: Divya Bhaskar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *