Grahak Chetna

"Your Voice, Your Power!"

સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયની નોંધ લીધી:ન્યાયાધીશે કહ્યું હતું- સગીરાના બ્રેસ્ટ પકડવા, તેના પાયજામાની દોરી તોડવી એ બળાત્કાર નથી

Spread the love

સુપ્રીમ કોર્ટે મંગળવારે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણય પર સ્વતઃ નોંધ લીધી કે ‘સગીર છોકરીના બ્રેસ્ટ પકડવા, તેના પાયજામાની દોરી તોડી નાખવી એ બળાત્કાર નથી…’. જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચ બુધવારે આ કેસની સુનાવણી કરશે.
અગાઉ, સુપ્રીમ કોર્ટે આ કેસ પર દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. અરજીમાં ચુકાદાના વિવાદાસ્પદ ભાગને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી.
આ નિર્ણય પર કાયદાકીય નિષ્ણાતો, રાજકારણીઓ અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી માટે સંમતિ આપી છે.
પહેલા જાણી લો કે અલ્હાબાદ હાઈકોર્ટે શું કહ્યું છોકરીના પ્રાઈવેટ પાર્ટને પકડી લેવા, તેના પાયજામાની દોરી તોડવી અને તેને બળજબરીથી નાળા નીચે ખેંચી જવાનો પ્રયાસ કરવો એ બળાત્કાર કે બળાત્કારનો પ્રયાસ નથી ગણાતો.
સોમવારે, આ ચુકાદો આપતી વખતે, અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાએ બે આરોપીઓ પર લાદવામાં આવેલી કલમોમાં ફેરફાર કર્યો. 3 આરોપીઓ સામે દાખલ કરાયેલી ફોજદારી સુધારણા અરજી સ્વીકારવામાં આવી હતી.

Courtesy: Divya Bhaskar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *