શું પાકિસ્તાનને રાતોરાત સિંધુનું પાણી મળતું બંધ થઈ શકે? સમજો સિંધુ જળ સંધિ સરળ શબ્દોમાં
Updated: Apr 24th, 2025
GS TEAM
India Halts Indus Waters Treaty After Pahalgam Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર કરાયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારત સરકારે પાકિસ્તાન સામે આકરા પગલાં ભર્યાં છે, જેમાંનું એક છે પાકિસ્તાન સાથેની ‘સિંધુ જળ સંધિ’ (IWT – ઈન્ડસ વોટર્સ ટ્રીટી) પર લગાવવામાં આવેલી રોક. 23 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર પણ હાજર રહ્યા હતા. ત્યારે ચાલો જાણીએ કે સિંધુ જળ સંધિ શું છે અને ક્યારે લાગુ કરવામાં આવી હતી.
સિંધુ જળ સંધિ (IWT) ક્યારે થઈ હતી?
Source: Gujarat Samachar | Language: Gujarati