Grahak Chetna

"Your Voice, Your Power!"

મોદી RSS મુખ્યાલય પહોંચ્યા, હેડગેવાર-ગોલવલકરને શ્રદ્ધાંજલિ આપી:સંઘ પ્રમુખ ભાગવત અને ફડણવીસ પણ હાજર; હિન્દુ નવા વર્ષના કાર્યક્રમમાં સામેલ થશે

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના મુખ્યાલય કેશવકુંજ પહોંચ્યા છે. મોહન ભાગવત પણ તેમની સાથે છે.
પીએમ મોદી હિન્દુ નવા વર્ષના પહેલા દિવસે અહીં RSSના પ્રતિપદા કાર્યક્રમમાં હાજરી આપશે. મોદીએ આરએસએસના સ્થાપક કેશવ બલિરામ હેડગેવાર અને બીજા સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકરને શ્રદ્ધાંજલિ આપી. પછી તેઓ દીક્ષાભૂમિ પણ જશે. અહીં ડૉ. ભીમરાવ આંબેડકરે 1956માં બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.
આ પછી પીએમ માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરના નવા વિસ્તરણ ભવનનો શિલાન્યાસ કરશે. આમાં RSS વડા મોહન ભાગવત, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહેશે.
2014માં વડા પ્રધાન બન્યા પછી મોદી પહેલી વાર આરએસએસ મુખ્યાલયની મુલાકાત લઈ રહ્યા છે. 12 વર્ષ પહેલાં (16 સપ્ટેમ્બર 2012), તેઓ ભૂતપૂર્વ આરએસએસ વડા કેએસ સુદર્શનના નિધન પર મુખ્યમંત્રી તરીકે આરએસએસ મુખ્યાલયમાં આવ્યા હતા.
મોદી છેલ્લે 16 જુલાઈ, 2013ના રોજ 2014ની લોકસભા ચૂંટણી માટેની બેઠકમાં હાજરી આપવા માટે મુખ્યાલયમાં આવ્યા હતા. આ પહેલી વાર હશે જ્યારે કોઈ વર્તમાન પ્રધાનમંત્રી RSS મુખ્યાલયની મુલાકાત લેશે.

Courtesy: Divya Bhaskar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *