પહલગામ હુમલામાં પાકિસ્તાનનું સીધું કનેક્શન, ભારતે વિદેશી સરકારોને આપ્યા પુરાવા
Updated: Apr 26th, 2025
GS TEAM
Pahalgam Terror Attack: પહલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનું સીધુ કનેક્શન હોવાના દાવાની ભારતે ખાતરી કરી છે. ભારતે વિવિધ દેશોની સરકારને આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી હોવાની ખાતરી કરતાં જરૂરી પુરાવા મોકલી આપ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતે છેલ્લા ત્રણ દિવસમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને જણાવ્યું છે કે, પહલગામ હુમલામાં આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી છે. અને તેમનો સીધો પાકિસ્તાન સાથે સંબંધ હોવાની ખાતરી થઈ છે. જરૂરી પ્રત્યક્ષદર્શીઓ સહિત ગુપ્ત એજન્સીઓએ ટેક્નિકલ ઈન્ટેલિજન્સ અને વિશ્વસનીય જાણકારી મારફત પુરાવા આપ્યા છે.
Source: Gujarat Samachar | Language: Gujarati