પહલગામ હુમલાના આતંકીઓ વિશે જાણકારી આપનાર માટે પોલીસે જાહેર કર્યું મોટું ઈનામ
Updated: Apr 24th, 2025
GS TEAM
Pahalgam Attack | જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. જોકે આ ભયાનક આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ હજુ સુધી પકડાયા નથી.
આતંકવાદીઓની શોધમાં સેના અને પોલીસ બંને સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. હવે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાની પોલીસે પહલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓ વિશે માહિતી આપનારાઓ માટે મોટા ઈનામની જાહેરાત કરી છે.
Source: Gujarat Samachar | Language: Gujarati