Grahak Chetna

"Your Voice, Your Power!"

પાન-માલા ગુટકાના વેપારીઓની ૫.૬૮ કરોડની જીએસટી ચોરી પકડાઈ

Spread the love

Updated: Mar 29th, 2025

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
અમદાવાદના ચાંગોદર, મણિનગર, કુબેર નગર સહિતના ૨૨ સ્થળે પાનમસાલા અને ગુટકાના વેપારીઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કચેરી દ્વારા ગત ૨૫મી માર્ચે પાડવામાં આવેલા દરોડામાં રૃા. ૫.૬૮ કરોડની ચોરી પકડી પાડવામાં સફળતા મળી છે. આ વેપારીઓ બિનહિસાબી માલનો રોકડેથી વેપાર કરતાં હોવાનું બહાર આવ્યું છે. 
જીએસટી કચેરીના અધિકારીઓએ પાડેલા દરોડા દરમિયાન રોકડેથી પાન મસાલા અને ગુટકાની પડીકીઓનો મોટેપાયે વેપાર કરવામાં આવતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તેમણે ચોપડે ન દર્શાવેલો હોય તેવો પણ મોટો જથ્થો મળી આવ્યો છે. જીએસટીનું રજિસ્ટ્રેશન પણ ન ધરાવતા ડીલરો પાસેથી અંદાજે રૃા. ૫.૬૮ કરોડની જીએસટીની ચોરી પકડી પાડવામાં સફળતા મળી છે.

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *