જમ્મુ કાશ્મીરના આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીઓ ઇજાગ્રસ્ત, ગૃહમંત્રીએ હાઇલેવલ બેઠક બોલાવી
Updated: Apr 22nd, 2025
GS TEAM
Pahalgam Terror Attack : જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ પર્યટકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું છે. જેમાં બે પ્રવાસીનું મોત થયું છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જેમાં ભાવનગરના વિનુ પટેલ, માનિક પટેલ અને રિનો પાંડેય સામેલ છે. મહારાષ્ટ્રના એસ. બાલાચંદ્રુ અને ડૉ. પરમેશ્વર ઘાયલ થયા છે. આ સિવાય કર્ણાટકના અભિજવન રાવને પણ ઈજા પહોંચી છે. અમિત શાહે વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરી છે અને તેમણે હાઈલેવલની બેઠક બોલાવી છે. અમિત શાહ ટુંક સમયમાં જમ્મુ કાશ્મીર પહોંચશે.
પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર
Source: Gujarat Samachar | Language: Gujarati