છત્તીસગઢમાં 16 નક્સલવાદી ઠાર:મૃતદેહ અને હથિયારો જપ્ત; કોર એરિયામાં ચાલી રહ્યું છે એન્કાઉન્ટર, 2 જવાન ઘાયલ
છત્તીસગઢના સુકમા અને દંતેવાડા જિલ્લાની સરહદ પર શનિવારે સવારથી પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં 16 નક્સલવાદીઓ માર્યા ગયા છે. DRG અને CRPFના જવાનોએ નક્સલવાદીઓને ઘેરી લીધા છે. મામલો કેરળપાલ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
DIG કમલોચન કશ્યપે ભાસ્કરને જણાવ્યું કે 16 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. INSAS, SLR જેવા ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આથી સ્પષ્ટ છે કે માર્યા ગયેલા નક્સલવાદીઓમાં મોટા કેડરનો પણ સમાવેશ થાય છે. અત્યારે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
DIGએ કહ્યું કે ઓપરેશન પૂરું થયા બાદ સર્ચ કરવામાં આવશે, ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે નક્સલવાદીઓને કેટલું નુકસાન થયું છે. માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.
આ પહેલા 25 માર્ચે સુરક્ષા દળોએ 25 લાખનું ઈનામી નકસલી સુધીર ઉર્ફે સુધાકર સહિત 3 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા. 2025માં જવાનોએ બસ્તર રેન્જમાં એન્કાઉન્ટરમાં 100 નક્સલવાદીઓ માર્યા ગયા છે. જેમાં માર્ચ મહિનામાં જ 49 નક્સલવાદીઓ માર્યા ગયા છે.
20 માર્ચ: રાજ્યમાં બે એન્કાઉન્ટર, 30 નક્સલી માર્યા ગયા હતા
Courtesy: Divya Bhaskar