ચૂંટણી ભાષણ માટે બિહાર ગયા પણ પહલગામ અંગે સર્વપક્ષીય બેઠકમાં ન આવ્યા, ખડગેએ PM મોદીને ઘેર્યા
Updated: Apr 27th, 2025
GS TEAM
Kharge attack on PM Modi | કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પહલગામ આતંકી હુમલા બાદ બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ ન લેવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી હતી. ખડગેએ કહ્યું કે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં સરકારે સુરક્ષામાં ખામી હોવાનો સ્વીકાર કર્યો હોવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અંગે તેમણે સરકારને ધારદાર સવાલ કર્યો કે પાણી તો રોકી લેશો પણ તેનો સંગ્રહ ક્યાં કરશો?
સરકારે સુરક્ષામાં ખામી હોવાનું સ્વીકાર્યું
Source: Gujarat Samachar | Language: Gujarati