કઠુઆ એન્કાઉન્ટર- 3 આતંકી ઠાર, 3 જવાન શહીદ:જૈશના પ્રૉક્સી સંગઠન પીપલ્સ એન્ટી-ફાસિસ્ટ ફ્રન્ટે ગોળીબારની જવાબદારી લીધી; શોધખોળ ચાલુ
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના એક દૂરના જંગલ વિસ્તારમાં ગુરુવારે દિવસભર ચાલેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા. જોકે, આ એન્કાઉન્ટરમાં જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ત્રણ સૈનિકો પણ ઘાયલ થયા હતા, જેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
ત્રણ શહીદ સૈનિકોના નામ તારિક હુસૈન, જસવંત સિંહ, બલવિંદર સિંહ છે. તેમને જમ્મુ મેડિકલ કોલેજ (JMC)માં રિફર કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના આ સૈનિકોને પેટમાં ગોળી વાગી હતી.
ડેપ્યુટી એસપી ધીરજ સિંહ અને એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા અન્ય લોકોને ઉધમપુર મોકલવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે કઠુઆ જિલ્લાના રાજબાગમાં ગુરુવારે સવારે 8 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો.
રાજબાગના ઘાટી જુથાણા વિસ્તારના જાખોલે ગામમાં લગભગ 9 આતંકવાદીઓ છુપાયેલા હોવાના સમાચાર હતા. જૈશ-એ-મોહમ્મદના પ્રોક્સી સંગઠન પીપલ્સ એન્ટી-ફાસીસ્ટ ફ્રન્ટે પોલીસ પર ગોળીબારની જવાબદારી સ્વીકારી.
શુક્રવારે સવારે બીજીવાર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકવાદીઓને પકડવા માટે SOG, આર્મી, BSF અને CRPFની સંયુક્ત ટીમે થર્મલ ઇમેજિંગ, ડ્રોન, હેલિકોપ્ટર, બુલેટપ્રૂફ વાહનો અને સ્નિફર ડોગ્સની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ રાત માટે કાર્યવાહી અટકાવી દીધી હતી અને તેથી આતંકવાદીઓના મૃતદેહ હજુ સુધી મળી શક્યા નથી. શુક્રવારે સવારે કામગીરી ફરી શરૂ થશે.
Courtesy: Divya Bhaskar