Grahak Chetna

"Your Voice, Your Power!"

આંધ્રના મુખ્યમંત્રીએ વકફ મિલકતોની સુરક્ષાનું વચન આપ્યું:કહ્યું – અમે મુસ્લિમોને ન્યાય આપ્યો, આજે વિજયવાડામાં મુસ્લિમ લો બોર્ડનું પ્રદર્શન

Spread the love

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વકફ મિલકતોનું રક્ષણ કરવાનું વચન આપ્યું છે.
27 માર્ચે વિજયવાડામાં રાજ્ય સરકારની ઇફ્તાર પાર્ટીમાં બોલતા, નાયડુએ કહ્યું કે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) એ હંમેશા મુસ્લિમો સાથે ન્યાય કર્યો છે, અમે વંચિત મુસ્લિમ પરિવારોના વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ.
મુખ્યમંત્રીએ મુસ્લિમોની આર્થિક સ્થિતિ સુધારવા માટે વહીવટીતંત્રના પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો અને બજેટ ફાળવણી અને કલ્યાણકારી પહેલો પર વાત કરી.
તેમણે કહ્યું કે તેમની સરકારે લઘુમતી સમુદાયોના વિકાસ માટે 2025-26ના બજેટમાં 5,300 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં વકફ સુધારા બિલ સામે વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યું છે.

Courtesy: Divya Bhaskar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *