આજથી બે દિવસ રત્નકલાકારો હડતાળ પર ઊતરશે, સરકાર તરફથી કોઈ જવાબ ન મળતાં નિર્ણય
Updated: Mar 30th, 2025
Diamond Woker Strike : ડાયમંડ સીટી સુરત શહેરમાં રત્નકલાકારોની કફોડી બનેલી આર્થિક સ્થિતિ વચ્ચે સરકારમાં રજુઆતો કરવા છતા કોઇ નિવેડો નહીં આવતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 30મી માર્ચે સામુહિક હડતાળની જાહેરાત કરી હતી. જેને પગલે કલેકટર અને લેબર વિભાગે બેઠકો યોજી હતી, પણ સરકાર તરફથી બાદમાં કોઇ નિર્ણય નહી લેવાતા તા.30, 31 બે દિવસ હડતાળનો નિર્ણય લેવાયો છે. રવિવારે કતારગામથી હીરાબાગ સુધી રત્નકલાકારોની રેલી યોજાશે.
રેલીમાં પાંચ હજાર જેટલા રત્નકલાકારો જોડાવાની શક્યતા
સુરત ડાયમંડ વર્કર એસોસીએશન દ્વારા છેલ્લા એક મહિનાથી રત્નકલાકારોને કનડગતા પ્રશ્નોને લઇને જિલ્લા કલેકટરથી લઇને છેક મુખ્યમંત્રી સુધી રજુઆતો કરી છે. રત્નકલાકારોની માંગણી છે કે ડાયમંડ મજુરીના ભાવો વધારવા માટે ઉચ્ચસ્તરીય કમિટી બનાવવામાં આવે. રત્નકલાકારને આર્થિક સહાય, આપધાત કરનાર રત્નકલાકારાના પરિવારોને મદદ અને વ્યવસાય વેરો નાબુદ કરવામાં આવે અને સરકાર દ્વારા રત્નકલાકારો માટે જે પોઝીટીવ ચર્ચાઓ થાય છે તે પોઝીટીવ જાહેરાત કરે એવી માંગ કરાઇ રહી છે.
Courtesy: Gujarat Samachar