સાઉદીથી પાછા આવતા જ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી, ડોભાલ અને જયશંકર વચ્ચે ઈમરજન્સી બેઠક
Updated: Apr 23rd, 2025
GS TEAM
PM Modi Emergency Meeting : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. દિલ્હી પહોંચતાની સાથે જ તેમણે એરપોર્ટ પર જ એક ઈમરજન્સી બેઠક બોલાવી. આ મહત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવ હાજર રહ્યા હતા.
Source: Gujarat Samachar | Language: Gujarati