મહારાષ્ટ્ર CM એકનાથ શિંદેએ NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા પછી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાનો વાય
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્યના ભૂતપૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા પછી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાનો વાયદો કર્યો છે. મુંબઈમાં અંજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને સિદ્દીકીની ગઈકાલે સાંજે હત્યા કરવામાં આવી હતી. CM શિંદેએ આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને મીડિયાને જણાવ્યું કે, બે શંકાસ્પદોની ધરપકડ થઈ છે, જ્યારે એક શંકાસ્પદ ફરાર છે. તેમણે કહ્યું કે, આ કેસની સુનાવણી ફાસ્ટટ્રેક અદાલતમાં થશે અને કેસની તપાસ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકને સોંપવામાં આવી છે.
આ ઘટના બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે લીલાવતી હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં બાબા સિદ્દીકીએ અંતિમ શ્વાસ લીધા. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પણ સિદ્દીકીના પરિવારજનોને મળ્યા અને સંપૂર્ણ તપાસની ખાતરી આપી.
#MaharashtraNews #BabaSiddiqui #EknathShinde #MumbaiPolice #NCP #DevendraFadnavis #FastTrackCourt #DayanandNayak
Courtesy: Prasar Bharati Shabd
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna