પહલગામ હુમલા બાદ મોટી હલચલ! વાયુસેનાએ શરૂ કર્યું ‘એક્સરસાઈઝ આક્રમણ’, દેખાડી રાફેલ-સુખોઈની તાકાત
Updated: Apr 24th, 2025
GS TEAM
Indian Air Force Exercise Aakraman : જમ્મુ-કાશ્મીરના પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરૂદ્ધમાં કડક એક્શન લઈ રહ્યું છે. આ દરમિયાન ભારતીય વાયુસેનાએ ‘એક્સરસાઈઝ આક્રમણ’ હેઠળ મોટું સૈન્ય અભ્યાસ શરૂ કર્યું છે. જેમાં પહાડ અને જમીનના સ્તરે ટાર્ગેટને લઈને હવાઈ હુમલાનું અભ્યાસ કર્યું છે. આ યુદ્ધ કવાયત હાલમાં સેન્ટ્રલ સેક્ટરમાં ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, વાયુસેનાના ઘણા સાધનો પૂર્વીય સેક્ટરથી મધ્ય સેક્ટરમાં મોકલવામાં આવ્યા છે. જ્યાં આ કવાયત હેઠળ, લાંબા અંતર સુધી જઈને દુશ્મનના લક્ષ્યો પર ચોક્કસ બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. પાયલોટ વાસ્તવિક યુદ્ધ પરિસ્થિતિઓ સામે લડી શકે તે માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે.
Source: Gujarat Samachar | Language: Gujarati