‘ગાંધી પરિવાર વારસાગત ભ્રષ્ટ’ ભાજપે ત્રણ કૌભાંડ મુદ્દે વાડ્રા, રાહુલ, સોનિયા ગાંધી પર સાધ્યું નિશાન
Updated: Apr 17th, 2025
GS TEAM
BJP Attack On Gandhi Family : ગાંધી પરિવાર અને તેમના જમાઈ રોબર્ટ વાડ્રા ભ્રષ્ટાચારના આરોપોમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તપાસ એજન્સીઓએ તાજેતરમાં જ કાર્યવાહી કર્યા બાદ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જમીન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રાની પૂછપરછ ચાલી રહી છે, જ્યારે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેના કારણે કોંગ્રેસે તપાસ એજન્સીઓ સામે આક્રોષ વ્યક્ત કરવા રસ્તા પર ઉતરી આવી છે, જ્યારે બીજીતરફ ભાજપ ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કરી કહ્યું કે, ગાંધી પરિવાર વારસાગત ભ્રષ્ટ છે.
ભાજપે ત્રણ કૌભાંડનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર સાધ્યું નિશાન
Source: Gujarat Samachar | Language: Gujarati